'સમાજ રત્ન' શ્રી કાંતિલાલ વજેશંકર વખારીઆ એટલે આજના યુગના આપણા સમાજના શેઠ ભામાશા. મચ્છુકાંઠા સમાજ અને માદરે વતન વાંકાનેરને કોઇ પણ સામાજીક શૈક્ષણીક કે ધાર્મિક પ્રવૃત્તિ હોય તેમાં શ્રી કાંતિલાલનો સહકાર હોય જ.
પ્રમાણિકતા અને બુદ્ધિ પ્રતિમાથી તેમણે ૩૫ વષૅ સુધી બેંકીગ ક્ષેત્રે પ્રગતિના સોપનો સર કર્યા.મૂળ વાંકાનેરમાં જન્મેલા પણ મુંબઈને તેમની પોતાની કર્મ-ભૂમિ બનાવી આજે જીવનના ૮ દાયકા પૂર કર્યા છતાંય તેમણે અથાગ પરીશ્રમથી પોતાની તમામ પ્રવૃત્તિઓમાં ઝળહળતી સફળતા મેળવી છે. |